મરાઠા અનામત આપવા રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર, ‘કુણબી’ નો દરજ્જો મળશે

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે.

Maratha Reservation Movement' roads jammed, judge reached High Court;  Supporters playing kabaddi on roads; After seeing the attitude, said,  'clear the roads by afternoon' | Bhaskar English

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરાઠા અનામત માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારી નેતા મનોજ જરાંગેની માંગણી સ્વીકારવામાં આવી છે. સરકારે હૈદરાબાદ ગેઝેટ બહાર પાડશે. આનો અર્થ એ છે કે મરાઠા સમુદાયના લોકોને ‘કુણબી’ જાતિનો દરજ્જો મળશે. રાજ્યમાં કુણબી જાતિ પહેલાથી જ ઓબીસી માં સમાવિષ્ટ છે. સરકારના આ નિર્ણયથી મરાઠાઓને અનામત મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

Maratha quota protest ends

મુંબઈના આઝાદ મેદાન ખાતે પહોંચેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓના એક પ્રતિનિધિમંડળે મનોજ જરાંગેને ખાતરી આપી હતી કે સરકાર હૈદરાબાદ ગેઝેટના અમલીકરણ માટે સરકારી આદેશ (જીઆર) જારી કરશે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓએ કહ્યું હતું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર એક કલાકમાં જારી કરવામાં આવશે, જ્યારે બાકીના ત્રણ ગેઝેટ્સને લાગુ કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે.

Activist Manoj Jarange ends five-day fast, calls off protest after claiming  victory over Maratha quota demands

મહારાષ્ટ્રના મંત્રીઓના આશ્વાસન બાદ જરાંગેએ પોતાના સમર્થકોને કહ્યું કે આપણે જીતી ગયા છીએ. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતની માંગ સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરશે તો હું આજે રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધીમાં મુંબઈથી નીકળી જઈશ. તેમણે મહારાષ્ટ્ર સરકારને મરાઠા સમુદાયને કુનબીનો ભાગ જાહેર કરતો સરકારી આદેશ જારી કરવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

Bombay HC says unhappy with state's handling of Maratha agitation | Mumbai  News - The Indian Express

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે.

Maratha Quota Protest Spills onto Mumbai Streets, Court Orders Clearing Out  of Protestors
નિઝામની સરકાર દ્વારા જારી કરાયેલ ૧૯૧૮ ના હૈદરાબાદ ગેઝેટમાં અમુક સમુદાયોનો સમાવેશ થાય છે, જેમાં હૈદરાબાદ રાજ્ય (હવે મહારાષ્ટ્રનો મરાઠાવાડા પ્રદેશ) ના મરાઠા સમુદાયના ઘણા લોકોનો સમાવેશ થાય છે – કુણબી તરીકે, જે મહારાષ્ટ્રમાં માન્ય અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણી છે.
Maratha Quota Row: Maratha Quota Activist Manoj Jarange Gets Notice, Mumbai  Police Ask Protesters To Vacate Azad Maidan

હૈદરાબાદ રાજ્યમાં, મરાઠા સમુદાયની નોંધપાત્ર હાજરી હતી, વહીવટી સત્તા અને રોજગાર બંનેમાં તેમનું પ્રતિનિધિત્વ હતું. આ વાતને માન્યતા આપતા, નિઝામ સરકારે સત્તાવાર રીતે સમુદાયને કુણબી તરીકે વર્ગીકૃત કર્યો અને ઔપચારિક આદેશ દ્વારા તેમને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપી.

Maratha quota stir: Manoj Jarange 'ready' for talks but 'won't leave  Mumbai'; slams CM Devendra Fadnavis | Mumbai News - The Times of India

આ હુકમ હૈદરાબાદ રાજ્યના સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયો હતો, તેથી જ તેને “હૈદરાબાદ ગેઝેટ” તરીકે ઓળખવામાં આવ્યું. આ દસ્તાવેજ માન્ય રહે છે અને અસંખ્ય ચાલી રહેલા કાનૂની કેસોમાં સંદર્ભ તરીકે સ્વીકારવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટેની અગાઉની માંગણીઓ દરમિયાન પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *