યુઝર્સ માટે જરૂરી ખબર! યુપીઆઈ દ્વારા લેવડદેવડની લિમિટમાં મોટો ફેરફાર

જો તમે પેટીએમ, જીપે, ફોનપે નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર છે. તમને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ યુપીઆઈ વ્યવહારો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે.

Attention UPI Users! 5 major changes you must know in 2024 | Zee Business

જો તમે પેટીએમ, જીપે, ફોનપે નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર છે. તમને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ યુપીઆઈ વ્યવહારો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારો આવતીકાલથી એટલે કે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવારથી અમલમાં આવશે. ચાલો જાણીએ કે આવતીકાલથી કયા ફેરફારો થવાના છે…

New UPI rules from August 1, 2025: These new payment guidelines could  affect your daily transactions from today - The Economic Times

આ વ્યવહારોની મર્યાદામાં વધારો

નવા નિયમો હેઠળ વીમા પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી અને સરકારી ઈ-માર્કેટપ્લેસ (જીઈએમ) જેવી શ્રેણીઓમાં પ્રતિ વ્યવહાર મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આમાંની કેટલીક શ્રેણીઓમાં, તમે એક દિવસમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકશો.

કેટેગરી પ્રતિ ટ્રાંઝેક્શન લિમિટ પ્રતિદિવસ લિમિટ
કેપિટલ માર્કેટ ૫ લાખ રૂપિયા ૧૦ લાખ રૂપિયા
ઈંશ્યોરન્સ પ્રીમિયમ ૫ લાખ રૂપિયા ૧૦ લાખ રૂપિયા
સરકરી ઈ-માર્કેટ પ્લેસ ૫ લાખ રૂપિયા ૧૦ લાખ રૂપિયા
યાત્રા ૫ લાખ રૂપિયા 10 લાખ રૂપિયા
ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી ૫ લાખ રૂપિયા ૬ લાખ રૂપિયા
જ્વેલરી ૫ લાખ રૂપિયા ૬ લાખ રૂપિયા
મર્ચેંટ પેમેન્ટ ૫ લાખ રૂપિયા
ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગ ૫ લાખ રૂપિયા ૫ લાખ રૂપિયા

આ યુપીઆઈ વ્યવહારોમાં કોઈ ફેરફાર નથી

UPI transaction limit to change from September 16! Here are the new limits  for various UPI

સામાન્ય યુપીઆઈ વ્યવહારોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.એનપીસીઆઈ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ વધેલી મર્યાદા ફક્ત ખાસ શ્રેણીઓ માટે જ લાગુ પડશે. એનપીસીઆઈ અનુસાર, વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારોની મર્યાદા પહેલા જેવી જ રહેશે. આનો અર્થ એ છે કે સામાન્ય વપરાશકર્તાઓ એક દિવસમાં મહત્તમ ૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે.

UPI Transaction Limits: Now you can do this much transaction in one day through  UPI, check the charge limit - informalnewz

નિયમો કેમ બદલવામાં આવ્યા?

NPCI અનુસાર, નવા નિયમનો હેતુ મોટા વ્યવહારોને સરળ બનાવવાનો છે. હવે તમે યુપીઆઈ દ્વારા ફક્ત નાના વ્યવહારો જ નહીં, પણ મુસાફરી અને વ્યવસાયિક ચુકવણીઓ પણ ખૂબ જ સરળતાથી કરી શકો છો.

UPI transaction limit: This is how much one can spend using Gpay, PhonePe  and Paytm | www.lokmattimes.com

દેશમાં યુપીઆઈ નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે

શરૂઆતમાં યુપીઆઈ નો ઉપયોગ ફક્ત નાના વ્યવહારો માટે જ થતો હતો. પરંતુ આજે યુપીઆઈ દેશમાં ખૂબ મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બની ગયું છે. આજે દેશમાં લાખો લોકો મુસાફરીથી લઈને બિલ ચુકવણી સુધીની દરેક વસ્તુ માટે યુપીઆઈનો ઉપયોગ દરરોજ કરી રહ્યા છે. નવી મર્યાદા તેને વધુ અનુકૂળ બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *