દેશમાં ત્યારે કોરોના મહામારીના કારણે ચોરેતરફ હાહાકાર મચ્યો છે. ખાસ કરીને અત્યારે દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. ખાસ કરીને રાજ્ધાની દિલ્હીમાં ઓક્સિજનને લઇને છેલ્લા એક અઠવાડિયાથી વિવાદ શરુ છે. આ બધા વચ્ચે ઓક્સિજનની અછતના કારણે દિલ્હીમાં અનેક લોકોન મોત પણ થયા છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજનની અછતને લઇને દેશના મોટા ઉદ્યોગપતિઓને પત્ર લખ્યો છે.
જેમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સહિત અન્ય મોટા ઉદ્યગપતિઓ છે. કેજરીવાલે પત્રમાં કહ્યું છે કે જો તેમની પાસે ઓક્સિજન અથવા તો ટેંકર હોય તો દિલ્હી સરકારની મદદ કરો. તેમણે કહ્યું કે તમારાથી જે સહયોગ થઇ શકે તે કરો. કેજરીવાલે જે લોકોને પત્ર લખ્યો છે તેમાં મુકેશ અંબાણી, રતન ટાટા, આદિત્ય બિરલા, રાહુલ બજાજ, આનંદ મહિન્દ્રા, હિંદુજા બ્રધર્સ સહિત ઘણા ઉદ્યોગપતિઓ છે. પત્ર લખીને કેજરીવાલે આ લોકો પાસે ઓક્સિજનની સપ્લાઇને લઇને મદદ માંગી છે.
દિલ્હી છેલ્લા 10 દિવસથી ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યું છે. લોકો ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમાં મરી રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ઓક્સિજનને લઇને રાજનીતિ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઓક્સિજન માટેનો કોઇ પ્લાંટ નથી, જેના કારણે બધો ઓક્સિજન બહારથી લાવવો પડો છે. દિલ્હી હાઇકોરટ પણ ઓક્સિજનની અછત અને સપ્લાઇને લઇને દિલ્હી અને કેન્દ્ર સરકારના ક્લાસ લઇ રહ્યા છે. ઉલ્લેખની છે કે શનિવારે અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોની મુખ્યમંત્રીઓને પત્ર લખીને દિલ્હીને ઓક્સિજન આપવાનો અનુરોધ કર્યો હતો.