શનિ જયંતીનો દિવસ શનિદેવ માટે સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી 10 જૂન 2021ના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની નિમિતે અમે તમને શનિજયંતીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે જણાવવા માગીએ છીએ.
આ કામ કરવાથી શનિદેવ થશે નાખુશ
- પશુ- પક્ષીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.
- બીજાનું ધન લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ
- શનિદેવ ખોટુ અને અનૈતિક કામ કરવાવાળા લોકો પર નાખુશ થઈ શકે છે.
- પરિશ્રમ કરવાવાળા લોકોનું અપમાન ન કરવું જોઈએ.
- નિર્ધન અને કમજોર લોકોને હેરાન ન કરવા જોઈએ.
- મિત્ર અને સગાઓને દગો દેવો જોઈએ નહીં, બીજાનું સારૂ જોઈને ઈર્ષાન કરવી જોઈએ
આ કામ કરવાથી શનિદેન થશે ખુશ
- શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ
- બીજા લોકોની હમેંશા મદદ કરવી જોઈએ.
- દુ:ખ અને ગંભીર રોગોથી પીડિત વ્યક્તિઓની સેવા કરવી જોઈએ.
- જરૂરયાત વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.
- આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવવું જોઈએ.
- નિર્ધન લોકોને અન્ન,ચોખા, છત્રી અને કાળી ચાદરનું દાન કરવું જોઈએ.
- પ્રકૃતિની રક્ષા અને સેવા કરવી જોઈએ.