યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે ના ભાડામાં ઉષા બ્રેકો કંપનીએ કર્યો 29 રૂપિયાનો વધારો. પહેલા ટિકિટ પેટે 141 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ભાવ વધીને 170 રૂપિયા થયો છે.
પંચમહાલ: ગુજરાતમાં ઘણા યાત્રાધામોમાં જેવા કે પાવાગઢ (Pavagadh), ગિરનાર (Girnar) અને અંબાજી (Ambaji)ના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. શરૂઆત સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં થોડો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ વેના ભાડા (Pavagadh ropeway ticket)માં વધારો ઝીંકાયો છે. ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે. જ્યારે ગિરનાર રોપ વેની લંબાઈ 2,320 મીટર છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા બ્રેકો કંપનીએ 29 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા ટિકિટ પેટે 141 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ટિકિટનો ભાવ 170 રૂપિયા થયો છે. કંપનીએ 2019ના વર્ષમાં 116 રૂપિયામાંથી ભાડું વધારીને 141 રૂપિયા કર્યું હતું. હવે ફરીથી કંપનીએ ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં વધારો થતાં હવે રોપ વેમાં બેસીના માતાજીના દર્શન કરવા માંગતા ભક્તોએ વધારો ખર્ચ કરવો પડશે.