મંગળવારની રાત્રે રુમમાં સુતા હતા ત્યારે રાત્રે એકાદ વાગાની આજુબાજુ અચાનક ગેસ લિકેજ (Gas Leakage) ની દુર્ગંધ આવી હતી.
અમદાવાદ ગ્રામ્યના અસલાલી (Aslali) ની સીમા માં આવતા બારેજા (Bareja) ના નવા ગામ ખાતે શ્રીજી પ્લોટની પાછળની તરફ ઓરડીઓ આવેલી છે. આ ઓરડીમાં મંગળવારની રાત્રે માણસો સુતા હતા ત્યારે અડધી રાત્રે એકાદ વાગ્યે અચાનક ગેસ લિકેજ (Gas Leakage) ની દુર્ગંધ આવી હતી. તે દરમિયાન અચાનક ગેસની દુર્ગંધ પ્રસરી જતા બાજુની રૂમમાં રહેતા પરિવારજનોએ જાણ કરી હતી. આ અંગે ખ્યાલ આવતા ઓરડીમાં સુઇ રહેલા અન્ય સભ્યએ પ્રસરી રહેલી દુર્ગંધ બંધ કરવા અને ખાત્રી કરવા માટે ઓરડીની લાઇટ શરૂ કરી હતી.
પહેલાથી જ મોટા પ્રમાણમાં ઓરડીમાં પ્રસરી ગયેલા ગેસ અને ઇલેક્ટ્રિસિટી (Electricity) ના સ્પાર્કના કારણે ભયાનક બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં તો ઓરડીમાં સુતેલા 10 એ 10 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેમાથી આજ સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.
આ ઘટના ની જાણ થતાં પહેલાં 108 ને ફોન કરાયો હતો પરંતુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ને જાણ કરવામાં આવી ન હતી. કારણ કે તમામ લોકોને પહેલાં સારવારની જરૂર હતી. બીજી તરફ અસલાલી પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
આ પ્લોટ મૂળ કનુભાઈ પટેલની માલિકી નો છે, જેમાં મંડપ સર્વિસનું કામ ચાલે છે. અને અહીં અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને ભાડે આપી છે. જયાં આ દુર્ઘટના ઘટી તે ઓરડીઓનો ભાગ કેદારનાથ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો હતો. જે લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને પાંચ ઓરડીઓ બે હજારના ભાડા પર લીધી હતી.
10માથી હજુ પણ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જેને 70%થી વધુ અસર થઈ છે. હાલ એ વ્યક્તિ સિવિલના બર્ન્સ વિભાગમાં સારવાર હેઠળ છે. હવે આ ઘટના મા કોની બેદરકારી પોલીસ તપાસમાં સામે આવેશે અને શું કાર્યવાહી થશે એ જોવાનું રહેશે.