પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી ની સોખડામાં વેદોક્ત મંત્રોચ્ચારો સાથે અંતિમ સંસ્કારની વિધિ થઇ, મંદિરની બહાર હરિભક્તોનું ઘોડાપુર

સોખડા હરિધામ મંદિર પરિસરમાં લીમડા વન ખાતે આજે બપોરે 2 વાગ્ય થી હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. 5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી હતી. હાલ સોખડાના લીમડા વનમાં વેદોક્ત મંત્રોચ્ચારો સાથે સાંજે ૫ વાગાની બાજુ અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થઇ હતી. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી જેમાં માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતા.

શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવ્યો હતો. મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોચી હતી. ત્યાં પણ પુરૂષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધિ કરવામાં આવી હતી. અંત્યેષ્ટી માટે ચંદન,કેર, ઉમરો, પીપળો, સેવન, તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થયો હતો.

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહની આજે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેના માટે લીમડા વનમાં અંતિમવિધિ માટે 4 ફૂટનું પ્લેટફોર્મ રેડી કરાયું હતું જેના પર બહેનો દ્વારા લીપણ કરાયું હતું.

ભગવાન સ્વામિનારાયણે જે નદીઓમાં સ્નાન કરેલું  તે તમામ નદી ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા, તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાયો હતો. ઉપરાંત વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન પણ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *