ભારતની સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,499 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 447 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,69,954 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 50,86,64,759 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના 24 કલાકમાં 16,11,590 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વૈશ્વિક મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 11 લાખ 39 હજાર 457 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,686 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 4,02,188 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,28,309 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,17,67,232 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,22,221 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત (Gujarat Corona Cases) માં કોરોનાની સ્થિતિ જોવા જઈએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10077 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,65,81,478 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. રવિવારે 3,85,461 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.