ISRO: Indian Space Research Organization- એ પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ EOS-03ને ગુરુવાર સવારે લોન્ચ કર્યો છે. પરંતુ, લોન્ચના થોડા સમય બાદ ઈસરોના અધ્યક્ષ કે. સિવન (K.Sivan)એ જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે પૂરું નથી થઈ શક્યું. સ્પેસફ્લાઇટ નાઉ મુજબ, ઈસરોએ પુષ્ટિ કરી છે કે GSLV MK 2 લોન્ચ આજે ક્રાયોજેનિક સ્ટેજ દરમિયાન પર્ફોમન્સમાં ટેકનીકલ ખામીને કારણે અસફળ રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017 બાદથી ભારતીય લોન્ચમાં આ પહેલી અસફળતા છે.
ISROએ કહ્યું કે, સેટેલાઇટનું પૂરી સફળ 18.39 મિનિટનું હતી પરંતુ અંતિમ સમયે ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામી આવી ગઈ. તેને કારણે ISROને આંકડા મળવાનું બંધ થઈ ગયું. ISRO ચીફને જાણકારી આપ્યા બાદ જણાવવામાં આવ્યું કે EOS-3 મિશન આંશિક રીતે અસફળ થઈ ગયું છે. જો ઇસરોનું આ મિશન પૂરી રીતે સફળ થયું હોત તો સવારે લગભગ સાડા દસ વાગ્યાથી તે સેટેલાઇટ ભારતની તસવીરો લેવાનું શરૂ કરી દેતે.
નોંધનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS)ની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું. આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પરીક્ષણ સ્થળથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો. તેને જીએસએલવી એફ-10 દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવાનું આયોજન હતું. ત્યારબાદ ઉપગ્રહ પોતાના ઓન-બોર્ડ પ્રપલ્શન પ્રણાલીનો ઉપયોગ કરીને ભૂસ્થિર કક્ષામાં પહોંચી જવાની હતો.