નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ ટુંક સમય માં વધી શકે છે, સરકાર યોજના બનાવવામાં વ્યસ્ત

કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લોકોની કામ કરવાની ઉંમર વધારવી જોઈએ. બીજી તરફ પી.એમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિની વય વધારવાની સાથે એક સાર્વત્રિક પેન્શન સિસ્ટમ પણ લાવવી જોઈએ. રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને ઓછામાં ઓછા રૂ 2000/- પ્રતિ માસ પેન્શન મળવું જોઈએ .ઉલ્લેખનીય છે કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થાની ભલામણ કરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૌશલ્ય વિકસાવવા માટે નીતિઓ ઘડવી જોઈએ. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેનારા, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓનો પણ સમાવેશ થવો જોઈએ જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી પરંતુ ટ્રેન્ડ હોવું જોઈએ.મોંઘવારી ભથ્થું (DA) ફરી એકવાર વધી શકે છે. નોંધનીય છે કે મોંઘવારી ભથ્થામાં પહેલાથી જ 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જૂન 2021 માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવાની છે. પરંતુ ગયા વર્ષે કોવિડ -19 રોગચાળાને કારણે, મોંઘવારી ભથ્થાના ત્રણ અર્ધવાર્ષિક હપ્તા જુલાઈ 2021 સુધી રોકવામાં આવ્યા હતા. 14 જુલાઈએ જ DA માં 11 ટકાનો વધારો કરી 28 ટકા સુધી કરવામાં આવ્યો છે.

જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં જાહેર કરી શકાય છે. આ ચૂકવણી પણ સપ્ટેમ્બરના પગાર સાથે કરવામાં આવે તેવી શક્યતા છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે તેમને દોઢ વર્ષનું એરીયર્સ જોઈતું નથી પરંતુ જો જૂન માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે અને સપ્ટેમ્બરમાં ચૂકવવામાં આવે તો સરકારે તેમને બે મહિના, જુલાઈ અને ઓગસ્ટ માટે એરીયર્સ આપવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *