Taliban વધારી શકે છે ભારતની મુશ્કેલી, રક્ષા મંત્રી Rajnath Singh એ વ્યક્ત કરી ચિંતા

તાલિબાન (Taliban) નો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) ને કહી હતી. હકીકતમાં, તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં બેઝ બનાવી અન્ય ઘણા આતંકવાદી સંગઠનો આ ક્ષેત્રમાં શાંતિ માટે ખતરો બની શકે છે.

રક્ષા મંત્રીએ તાલિબાન પર કહી આ વાત
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, અફઘાન ક્ષેત્રનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલો કરવા કે ધમકી આપવા માટે થવો જોઈએ નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે અફઘાનિસ્તાન પર યુએન સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યૂશન 2593 ને લાગુ કરે.

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે ખતરો છે તાલિબાન
તમને જણાવી દઈએ કે ભારતીય ડેલિગેશને આ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે તાલિબાનની વધતી તાકાત જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ માટે ખતરો બની શકે છે. એવી સંભાવના છે કે અફઘાન ભૂમિમાંથી ઉદ્ભવતા તાલિબાન આતંકનો ખતરો અહીં પહોંચી શકે છે.

વધી શકે છે 9/11 જેવા હુમલા
આ વચ્ચે બ્રિટનની ગુપ્તચર એજન્સી MI-5 ના પ્રમુખ કેન મેક્કલમે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ફરી 9/11 જેવો હુમલો થઈ શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો આતંકવાદીઓનું મનોબળ વધારશે અને તેનો અર્થ એ કે 9/11 જેવા આતંકવાદી હુમલાનો ભય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *