કોરોના કાળમાં લોકો માટે મદદગાર બનીને સામે આવેલા સોનૂ સૂદના ઘરે આયકર વિભાગ (income tax department) સર્વે કરવા પહોંચ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IT વિભાગ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે બોલીવુડ અભિનેતા પાસે અપ્રમાણસર સંપત્તિ છે કે નહીં. તમને જણાવી દઈએ કે આ કોઈ દરોડો નથી, ન તો ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા સોનુ સૂદની જગ્યા પરથી કોઈ વસ્તુ જપ્ત કરવામાં આવી છે.
આ સમાચાર સામે આવતા જ #SonuSood સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ છે. તેમના ચાહકો સતત આ હેશટેગ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેના એક ચાહકે આ વાત પર ટિપ્પણી કરતા લખ્યું, ‘ખરેખર ઘોર કલયુગ હૈ ભૈયા! આજના સમયમાં મસીહાને પણ છોડવામાં આવતો નથી. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ હેશટેગ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે.
#SonuSood
Reel Life Real Life pic.twitter.com/qU6hUGVBiC— बाबा आरामदेव⚽ (@BabaAaramdevp) September 15, 2021
For IT department now 'survey' is a whole new dimension…
~SG#SonuSood pic.twitter.com/9x5vJPxesz— Zubair (@HayaatZubair) September 15, 2021
નોંધપાત્ર રીતે, લોકડાઉન દરમિયાન, અભિનેતા રોગચાળા વચ્ચે સામાન્ય લોકો માટે મસીહા સાબિત થયો. સોનુ સૂદે કોરોના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને ઘણી મદદ કરી છે. તેમણે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા. આ સિવાય તેમના ખાવા પિવાનો પણ ખ્યાલ તેમણે રાખ્યો. રોજગારીની વ્યવસ્થા પણ કરી. હવે તેને વાસ્તવિક જીવનમાં પણ ‘હીરો’ માનવામાં આવે છે. આ પછી પણ તે સતત દેશભરમાં લોકોની મદદ કરી રહ્યો છે.