મહેબૂબા મુફ્તિ ટવીટ: આર્યન ખાન મુસલમાન છે માટે પરેશાન કરવામાં આવી રહ્યો છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે આર્યન ખાન (અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર)ને એટલા માટે પરેશાન કરવામાં આવી રહ્યો છે, કારણ કે તે મુસલમાન છે. ચાર ખેડૂતની હત્યાનો આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાને બદલે કેન્દ્રીય એજન્સી 23 વર્ષના છોકરાની પાછળ પડી ગઈ છે, કારણ કે તેનું ઉપનામ ખાન છે. ભાજપની કોર વોટ બેન્કની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

PDP અધ્યક્ષે ભાજપ પણ આરોપ લગાવતાં કહ્યું હતું કે વોટ બેન્કને ખુશ કરવા માટે ભાજપ મુસલમાનોને ટાર્ગેટ કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

મહેબૂબાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં બગડતી સ્થિતિમાં સુધારો કરવાના બદલે કેન્દ્ર સરકાર ચૂંટણીમાં રાજકીય લાભ ખાંટવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવાની નીતિ ચાલુ રાખશે. એની પાછળનું કારણ ઉત્તરપ્રદેશમાં યોજાનારી આગામી ચૂંટણી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *