શ્રીનગરમાં થયેલી અથડામણમાં ૨ આતંકીઓને ઠાર કર્યા છે.જેમાં હૈદર નામનો વિદેશી આતંકીનો પણ સામેલ હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસના IGP વિજય કુમારના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે શ્રીનગરમાં થયેલા એ્કાઉન્ટરમાં હૈદર નામના વિદેશી આતંકવાદી તથા તેના એક સહયોગીને ઠાર કરી દેવાયા છે. જ્યારે તેને મદદ કરનાર એક ડોકટર મુદાસિર અને આતંકીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિક અલ્તાફ અહેમદનુ પણ મૃત્યુ થયુ છે. મળેલ માહિતી અનુસાર, શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની બાતમી મળ્યા બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરી ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ અને સુરક્ષાદળોએ વળતો જવાબ આપતા ફાયરિંગમાં ઘર માલિક અલતાફનુ મોત થયુ છે.
ફાયરીંગ દરમિયાન આતંકીઓને મદદ કરનાર ડો.મુદાસિર પણ માર્યો ગયો છે.ડો.મુદાસિરેજ આતંકીઓને રહેવા માટે ઘર અપાવ્યુ હતુ.મુદાસિર ઉત્તર અને દક્ષિણ કાશ્મીરથી આતંકીઓને લાવતો હતો.તે એક કોલ સેન્ટર પણ ચલાવતો હતો. કાયદો અને વ્યવસ્થા ના બગડે તે માટે ઘરના માલિક અલ્તાફ અહેમદના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં નહીં આવે.દરમિયાન પોલીસે એન્કાઉન્ટરના સ્થળેથી ૬ મોબાઈલ, ૨ પિસ્ટલ અને એક કોમ્પ્યુટર કબ્જે કર્યુ છે.