કાયર પાકિસ્તાનની નાપાક હરકત: મહિલાને ઢાલ બનાવી કર્યો ઘુસણખોરીનો પ્રયાસ

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી ભારતમાં અવાર નવાર ઘુસણખોરી કરવાના પ્રયાસ કરે છે પરંતુ ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતને દરેક વખતે નિષ્ફળ કરે છે. આ વખતે પાકિસ્તાનીઓએ ભારતને નુકશાન પહોચાડવા માટે મહિલાનો આશરો લીધો હતો પણ ભારતીય સેનાએ પાકિસ્તાનના આ પ્રયાસને પણ નિષ્ફળ બનાવી દીધો છે. આરએસપુરા વિસ્તારમાં સેનાએ એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારી છે. આ સાથે જ આરએસપુરા વિસ્તારમાં સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મળેલ માહિતી અનુસાર, સરહદ પારથી કેટલાક લોકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ નજરે પડતા, તેમને ચેતવણી આપી હતી. પરંતુ ઘુસણખોરોએ તેની અવગણના કરી હતી. જ્યારે ઘૂસણખોરો ભારતીય સરહદમાં પહોંચ્યા તો સૈનિકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ભાગવા લાગ્યા. દરમિયાન ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. સર્ચ ઓપરેશન પછી જાણવા મળ્યું કે ઘુસણખોરી કરતા ગોળીથી ઠાર થયેલ એક મહિલા હતી. સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

BSFના પ્રવક્તાએ જણાવ્યું કે આરએસપુરા સેક્ટરમાં એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર કરવામાં આવી છે. બીએસએફના જવાનોએ શંકાસ્પદ હિલચાલ બાદ ઘૂસણખોરને ઘણી વખત ભારતીય સરહદ પાર ના કરવા ચેતવણી આપી હતી, પરંતુ તેમણે ફેન્સીંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. સૈન્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.

પોલીસ વડા દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર,  કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમની શોધ કરીને ટૂંક સમયમાં કાશ્મીરમાં ઠાર મારવામાં આવશે.  ડીજીપી દિલબાગ સિંહે વધુમાં જણાવ્યું કે, પોલીસ લોકોની સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સેના અને અર્ધલશ્કરી દળો સાથે સંકલનમાં રહીને કામ કરે છે. જેના કારણે આતંકવાદીઓ પોલીસને નિશાન બનાવવાની કોશિશ કરતા રહે છે. બાંદીપોરા હુમલા અંગે તેમણે કહ્યું કે હુમલા સાથે જોડાયેલા કેટલાક સગડ મળ્યા છે, જેના પર પોલીસ કામ કરી રહી છે. ટૂંક સમયમાં હુમલાખોરોનો અંત લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *