વડાપ્રધાન નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક યોજાઈ, સામાન્ય જનતાના હિત માટે ૩ મહત્વના નિર્ણય લેવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ૩ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સામાન્ય લોકો પર સીધી અસર જોવા મળશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આજની બેઠકમાં કેબિનેટે ચીપ કટોકટીને ધ્યાનમાં રાખીને સેમીકંડક્ટર માટે ઈકોસિસ્ટમને વિકસિત કરવા ૭૬,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે. જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેટિવ પર ૧૩૦૦ કરોડની યોજના અને ૨૦૨૧-૨૬ માટે ૯૩,૦૦૦ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને પણ કેબિનેટે મંજૂરી આપી છે.

ઈલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, ૭૬,૦૦૦ કરોડ રૂપિયાની ઈન્સેટિવ યોજનામાં આગામી ૬ વર્ષ દરમિયાન ૨૦ કરતા વધારે સેમીકંડક્ટર ડિઝાઈન, કંપોનેન્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ ઉભા કરવામાં આવશે. આ મોદી સરકાર દ્વારા દેશને ઈલેક્ટ્રોનિક્સ હબ બનાવવાની યોજનાનો હિસ્સો છે. યુવાનોને વધુ સારી તક આપવા માટે ૮૫,૦૦૦ કુશળ એન્જિનિયર્સ માટે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટે આજે ૨૦૨૧-૨૬ના વર્ષ માટે ૯૩,૦૬૮ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. આ રકમમાંથી રાજ્યોને ૩૭,૦૦૦ કરોડ કરતા વધારે રૂપિયા મદદ સ્વરૂપે મળશે. આ યોજનાનો લાભ અંદાજીત  ૨૨ લાખ ખેડૂતોને મળશે, સાથે જ ઈરીગેશન બેનિફિટ પ્રોગ્રામ, દરેક ખેતરને પાણી, વોટરશેડ ડેવલપમેન્ટ કોમ્પોનેન્ટને ૨૦૨૧થી આગળ પણ ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. ઉપરાંત કેબિનેટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તેજી તેજી લાવવા માટે ઈન્સેન્ટિવ પર ૧૩,૦૦ કરોડની યોજનાને પણ મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *