પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે આવતીકાલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી

ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમ્યાન ફિરોજપુરની રેલીમાં જતી વખતે રસ્તા પર કાફલાના રોકવા અંગે સુરક્ષામાં થયેલી ચૂક અંગે આવતીકાલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે. આ બનાવ અંગે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે વિસ્તૃત રીપોર્ટ માગ્યો છે. મંત્રાલયે આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે. ત્યાર બાદ હવે આવાતીકાલે સુપ્રિમ કોર્ટમાં આ ઘટના અંગે સુનાવણી કરવામાં આવશે.

આ મામલે હવે પંજાબ સરકાર પણ એક્શનમાં આવી છે અને તપાસ માટે એક હાઈ લેવલ કમિટિ બનાવી છે.કમિટી દ્વારા ત્રણ દિવસમાં સમગ્ર મામલા અંગે અહેવાલ સુપરત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *