દેશમાં વધી રહેલા કોરોનાના વધતા સંક્રમણને કારણે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે કેન્દ્ર સરકારે વધુ કડક નિયંત્રણો લાદયા છે. કેન્દ્ર સરકારે આજથી લાગુ કરેલ ગાઈડલાઈન અનુસાર હવે વિદેશથી આવનારા વ્યક્તિએ ૭ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવુ પડશે. ત્યારબાદ તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાની ગંભીર સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશથી આવનારા મુસાફરોને બહાર નિકળવાની કે ક્યાય પણ જવાની મંજૂરી નહી મળે. આવનાર મુસાફરોએ ફરજીયાત પણે પહેલા સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈ રહ્યા બાદ આઠમાં દિવસે RTPCR ટેસ્ટ કરાવવો પડશે. દરેક મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાની તમામ જાણકારી આપવી પડશે અને ૧૪ દિવસ દરમિયાન કઈ કઈ જગ્યાએ મુસાફરી કરી તેની જાણકારી આપવી પડશે.
ઉપરાંત મુસાફરે વિદેશ યાત્રા શરુ કરતા પહેલા મહત્તમ ૭૨ કલાકની અંદર કરેલો RTPCR ટેસ્ટનો રિપોર્ટ અપલોડ કરવો પડશે. તેમણે ક્વોરેન્ટાઈનના તમામ નિયમોનુ પાલન કર્યું છે તેની ખાત્રી આપવાની રહેશે. ઉપરાંત ૭ દિવસના ક્વોરન્ટાઈન બાદ આઠમા દિવસે કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.