ફરી એકવાર નાણાકીય વર્ષ 2020-2021 અથવા આકલન વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ગયા વર્ષે 31 ડિસેમ્બરથી ત્રણ મહિના વધારીને આ વર્ષે 15 માર્ચ કરી દેવાઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આ માહિતી આપી છે. આવકવેરા વિભાગે દંડ વિના ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ 15 જાન્યુઆરીથી વધારીને 15 ફેબ્રુઆરી, 2022 કરી છે. નાણા મંત્રાલયનાં મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વર્તમાન કોવિડ-19 પરિસ્થિતિને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ સાથે આ કરદાતાઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ પણ લંબાવીને 15 માર્ચ, 2022 કરવામાં આવી છે. જે કરદાતાઓ માટે ટેક્સ ઓડિટ રિપોર્ટનું ઓડિટ જરૂરી નથી તેમને કોઈ છૂટ આપવામાં આવી નથી.