પરીક્ષા પે ચર્ચાની ૫ મી આવૃત્તિની તારીખ લંબાવવામાં આવી

પરીક્ષા પે ચર્ચાની ૫ મી આવૃત્તિમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૩ જી ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અનોખા ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ – પરીક્ષા પે ચર્ચાની કલ્પના કરી હતી જેમાં જીવનને ઉત્સવ તરીકે ઉજવવા માટે પરીક્ષાઓમાંથી ઉદ્ભવતા તણાવને દૂર કરવા તેમની સાથે ચર્ચા કરવા અને તેને દૂર કરવા સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને વિદેશથી પણ વાતચીત કરવામાં આવે છે.

આ પ્રોગ્રામનું ફોર્મેટ ૨૦૨૧ ની જેમ ઓનલાઈન મોડમાં રાખવાની દરખાસ્ત છે.

ધોરણ ૯ થી ૧૨ ના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઓનલાઈન સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *