ભારત સરકારના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડૉ. વી. અનંત નાગેશ્વરની નિયુક્તિ

ડૉ. વી. અનંત નાગેશ્વરનને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમણે ગઈકાલે ચાર્જ સંભાળ્યો હતો. આ નિમણૂક પહેલા ડૉ. નાગેશ્વરને લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કર્યું છે.

તેમણે ભારતમાં અને સિંગાપોરમાં ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ સંસ્થાઓમાં મેનેજમેન્ટ વિષયો ભણાવ્યા છે.

ડૉ. વી. અનંત નાગેશ્વર ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન અને ક્રિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિઝિટિંગ પ્રોફેસર હતા. તેઓ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી ભારતના પ્રધાન મંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિન સભ્ય પણ રહ્યા છે.

ડૉ. વી. અનંત નાગેશ્વર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને માસાચ્યુસેટ્સ એમહર્ટ્સ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ ડિગ્રી ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *