ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો: શિખર, શ્રેયસ અને ગાયકવાડ કોરોના પોઝિટિવ

ટીમ ઈન્ડિયા અમદાવાદમાં છે જ્યાં તેઓ પહેલી વનડે રવિવારે ૬ ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

વેસ્ટઈન્ડિઝ સામે ૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પોર્ટસ્ટારના સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ ટીમના ૮ ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. આ ખેલાડીઓમાંથી શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરના નામ સામે આવ્યા છે. આ ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ આખી ટીમ આઈસોલેશનમાં છે. BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે અને બોર્ડ ટૂંક સમયમાં જ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ અંગેની જાહેરાત કરી શકે છે. BCCIએ હાલ તમિલનાડુના ઓલરાઉન્ડર શાહરુખ ખાન અને લેગ સ્પિનર સાઈ કિશોરને વેસ્ટઈન્ડિઝ સામેની લિમિટેડ ઓવરની શ્રેણી માટે સ્ટેન્ડબાય રાખ્યા છે. હાલ આ બંને ખેલાડી મુખ્ય ટીમનો ભાગ નથી, પરંતુ હવે તેમને ટીમનો ભાગ બનાવવામાં આવી શકે છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી વનડે ૬ ફેબ્રુઆરી, બીજી વનડે ૯ ફેબ્રુઆરી અને ત્રીજી વનડે ૧૧ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ ની પહેલી ટી-૨૦ મેચ ૧૬/૦૨/૨૦૨૨ ફેબ્રુઆરી, બીજી મેચ ૧૮/૦૨/૨૦૨૨ ફેબ્રુઆરી અને ત્રીજી મેચ ૨૦/૦૨/૨૦૨૨ ફેબ્રુઆરીએ રમાશે. આ ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ખેલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *