દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૧૬૬ નવા કેસ નોંધાયા, ૩૦૨ દર્દીના મૃત્યુ

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩,૧૬૬ કેસ નોંધાયા છે.

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૦૨ દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૯૮૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

અત્યાર સુધી દેશમાં કુલ ૪,૨૨,૪૬,૮૮૪ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ ૧,૩૪,૨૩૫ છે. દેશભરમાં ૨૪ કલાકમાં ૩૨,૦૪,૪૨૬ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે અને અત્યાર સુધી દેશમાં કોરોનાનું રસીકરણ ૧૭૬.૮૬ કરોડથી વધુને પાર થયું છે.

દેશમાં ૨૪ કલાકમાં ૧૦,૩૦,૦૧૬ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશભરમાં ૭૬.૪૫ કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાનો દૈનિક પોઝિટિવીટી રેટ ૧.૨૮% છે અને સાપ્તાહિક પોઝિટિવીટી રેટ ૧.૪૮% છે. હાલમાં દેશનો કોરોનાનો રિક્વરી રેટ ૯૮.૪૯% છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *