યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ બે દિવસની ભારતની મુલાકાતે

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. લાવરોવનો ભારત પ્રવાસ ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. આવતીકાલે તેઓ દિલ્હી પહોંચશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. જ્યારે રશિયાના વિદેશ મંત્રી છેલ્લે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે વડાપ્રધાને બંગાળમાં રેલી કરી હતી. ગયા અઠવાડિયે ચીનના વિદેશ પ્રધાન વાન યી સહિત અન્ય ઘણા વિદેશ પ્રધાનોની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી તેમને મળી શક્યા ન હતા.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ  ૧ એપ્રિલે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે. એજન્ડામાં રૂપિયા-રુબલ મિકેનિઝમ હેઠળ બિઝનેસ કરવા સહિતની ઘણી બાબતો સામેલ હશે. પશ્ચિમી દેશો દ્વારા તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાનું ચલણ ખૂબ પ્રભાવિત થયું છે.

જે દિવસે બ્રિટિશ વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રુસ વિદેશ મંત્રી જયશંકર સાથે વાતચીત કરવા માટે ભારતની રાજધાનીમાં હશે તે દિવસે રશિયન વિદેશ મંત્રી પણ દિલ્હીમાં હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટ્રસ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *