નીતિન ગડકરીએ કહ્યું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મએ ‘સાચો ઇતિહાસ’ બતાવ્યો છે.

 

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ છે ત્યારથી આ ફિલ્મને લઈને દેશમાં ચર્ચાનું વાતાવરણ છે. સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓએ આ ફિલ્મ વિશે પોતાના પ્રતિભાવો આપ્યા છે. દરમિયાન, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ઘાટીના સાચા ઇતિહાસને બહાર લાવ્યો છે અને આ ફિલ્મ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ફિલ્મના કલાકારો અનુપમ ખેર, પલ્લવી જોશી અને નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના સન્માન માટે આયોજિત કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કલાકારો અને દિગ્દર્શકોને ‘ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરા’ ના સ્વામી પરમ આનંદ દ્વારા અને નીતિન ગડકરીની હાજરીમાં ‘લાઇફ ઇઝ સિંક વિથ યુનિવર્સલ લો’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતોનો ઈતિહાસ મહાન અને સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. ગડકરીએ કહ્યું, “એ સાચું છે કે કાશ્મીરી પંડિતોને હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને બહાર જવાની ફરજ પાડવામાં આવી હતી. વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોની દુર્દશાને યોગ્ય રીતે દર્શાવી છે. ઈતિહાસની સમીક્ષા કરવા બદલ હું તેમનો આભાર માનું છું.”

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, કાશ્મીરી પંડિતોનો વાસ્તવિક ઈતિહાસ લોકોને ખબર નથી અને “સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા”. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે-અગ્નિહોત્રીએ જે રીતે ફિલ્મનું નિર્દેશન કર્યું છે, તેણે સત્ય અને વાસ્તવિક વાર્તાને લોકો સમક્ષ રજૂ કરી છે. આ ફિલ્મ લાંબા સમય સુધી યાદ રહેશે. આ ફિલ્મ નવી પેઢીને કાશ્મીરી પંડિતોના ઈતિહાસથી પણ વાકેફ કરશે. આ માટે હું વિવેક અગ્નિહોત્રીનો આભાર માનું છું. ભાજપના પૂર્વ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, ધર્મનિરપેક્ષ લોકો ફિલ્મમાં રસ નથી લઈ રહ્યા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *