હાર્દિક પટેલની નારાજગી ચરમસીમાએ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલે છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. ત્યારે હાર્દિક પટેલે ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલે કોંગ્રસના નેતાઓની નેતાગીરીથી નારાજ છે. ત્યારે આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે આજે ફરી એક વખત પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે,  કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક પટેલે કોંગ્રસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિકે કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માંગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિક પટેલે કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. આ સાથે હાર્દિક પટેલે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *