આજે અખાત્રીજથી શરૂ થતી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે દિશા નિર્દેશ કર્યા જાહેર

 

અખાત્રીજથી શરૂ થતી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દ્વાર આજે ખુલશે. ઇચ્છુક ભાવુકોને રાજ્ય સરકારના પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. કોવિડ તપાસના સર્ટિફિકેટની જરૂર નથી.

રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ મંદિર છઠ્ઠી મેના રોજ અને ચમોલી જિલ્લામાં બદ્રીનાથ મંદિરના દ્વાર 8મી મેના રોજ ખુલશે. અક્ષય તૃતીયાના દિવસે ૩ મે ૨૦૨૨ના દિવસે બપોરે ૧૨:૧૫ મિનિટે યમુનોત્રીના કપાટ ખુલશે. જ્યારે ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાના પર્વ નિમિત્તે અભિજીત મુહૂર્તમાં સવારે ૧૧:૧૫ મિનિટે ખુલશે. ત્યારબાદ તારીખ ૦૬/૦૫/૨૦૨૨ શુક્રવારના દિવસે કેદારનાથ અને ૦૮/૦૫/૨૦૨૨ રવિવારના દિવસે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે. આ વખતે ચારધામ યાત્રા શરૂ થતાં તારીખ ૦૬/૦૫/૨૦૨૨ના દિવસે સવારે ૦૬:૨૫ મિનિટે વૃશ્ચિક લગ્નમાં કપાટ ખોલવામાં આવશે. જ્યારે બીજી બાજુ બદ્રીનાથના કપાટ તારીખ ૦૮/૦૫/૨૦૨૨ના દિવસે સવારે ૦૬:૧૫ મિનિટે ખોલવામાં આવશે.

અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસ વિના કોઈ પંચાંગ જોઈને કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય જેવા લગ્ન, ગૃહ-પ્રવેશ,- વસ્ત્રોની ખરીદીની ખરીદી અથવા ઘર, ભૂખંડ,વાહનની ખરીદીથી સંબંધિત કાર્ય કરી શકાય છે.નવા વસ્ત્રો, ઝવેરાત વગેરે પહેરવાનું અને નવી સંસ્થા,સમાજ વગેરેની સ્થાપના કે ઉદ્ઘાટન કરવાનું કામ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે આ દિવસે પિતૃઓને કરવામાં આવતો પ્રસાદ અને પિંડ દાન અથવા અન્ય કોઈપણ પ્રકારનું દાન અખૂટ ફળ આપે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.આ દિવસે કરવામાં આવેલ જપ,તપ,હવન,સ્વાધ્યાય અને દાન પણ અક્ષય બને છે.

અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સમુદ્ર કે ગંગામાં સ્નાન કર્યા પછી શાંત ચિત્તે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની જોગવાઈ છે. નૈવેદ્યમાં જવ અથવા ઘઉંનું સત્તુ, કાકડી અને ચણાની દાળ ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ બ્રાહ્મણોને ફળ, ફૂલ, વાસણો, વસ્ત્રો વગેરેનું દાન કરીને દક્ષિણા આપવામાં આવે છે. બ્રાહ્મણોને ભોજન કરાવવું કલ્યાણકારી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *