ગુજરાત હાઇકોર્ટ: ઘરના ઘરનું સપનું જોતા ગુજરાતીઓ માટે ખુશખબર

 

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં .

છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર GST લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. GSTના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી ૧૨% અને ૫%ના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત ૩૩% ગણી બાકીની રકમ ઉપર એટલે કે ૬૬% ઉપર GST લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

અરજીકર્તાએ ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત ૩૩% કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૩૩% જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના ૩૩% ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *