દેશની પ્રથમ રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિ કરાઈ જાહેર

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે દેશની પ્રથમ રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિ જાહેર કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીમાં તેને લોંચ કરી હતી. આ નીતિનું વિઝન ૨૦૩૦ સુધી ભારતને મુખ્ય એર સ્પોર્ટસ દેશોમાંનો એક બનાવવાનો છે. આ નીતિમાં એર સ્પોર્ટ્સ માટે ભારતની વિપુલ સંભાવનાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે. દેશનાં એર સ્પોર્ટસ સેક્ટરને સુરક્ષિત, સુલભ, આનંદદાયક અને ટકાઉ બનાવી તેને પ્રોત્સાહન આપવા  માટેની ભારત સરકારની આ યોજના છે. રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિનું નિર્માણ નીતિ નિર્માતાઓ, એર સ્પોર્ટસ પ્રેક્ટિસનર્સ અને સામાન્ય લોકો પાસેથી મેળવેલા સુચનોનાં આધારે કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *