અમિત શાહની અધ્યક્ષતામાં દીવ ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલનની ૨૫મી બેઠક થઈ

કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતાની બેઠકમાં આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણના મંત્રીઓ તેમજ પદાધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં  હાજર રહ્યા હતા. કોવિડ રોગચાળાને કારણે આ બેઠક બે વર્ષ પછી મળી હતી. પ્રાદેશિક પરિષદો એક અથવા વધુ રાજ્યોને અસર કરતા મુદ્દાઓ અથવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મુદ્દાઓ પર માળખાગત રીતે ચર્ચા માટે એક મંચ પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લાં ૮ વર્ષમાં ઝોનલ કાઉન્સિલ અને તેની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

 

છેલ્લા ૮ વર્ષમાં વિવિધ ઝોનલ કાઉન્સિલની ૧૮ બેઠકો અને તેમની સ્થાયી સમિતિઓની ૨૪ બેઠકો થઈ છે, જ્યારે છેલ્લા ૮ વર્ષના સમાન સમયગાળામાં અનુક્રમે માત્ર ૬ અને ૮ બેઠકો યોજાઈ હતી.  તાજેતરની ૨૫મી વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલમાં ચર્ચા કરવામાં આવેલા ૩૦ મુદ્દાઓમાંથી ૨૭ ઉકેલાઈ ગયા છે અને માત્ર ત્રણ વધુ ચર્ચા માટે બાકી છે. પ્રાદેશિક પરિષદો સામાજિક અને આર્થિક વિકાસના મહત્વના મુદ્દાઓ પર રાજ્યો વચ્ચે ચર્ચા અને મંતવ્યોના આદાનપ્રદાન દ્વારા સંકલિત અભિગમ વિકસાવવામાં મદદ કરે છે. ઉપરાંત, ઝોનલ કાઉન્સિલની બેઠકોનો ઉપયોગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે થવો જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *