સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું ૧૯ જૂને લોકાર્પણ કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.
ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી ૧૯ જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.
નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને ૧૯ જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.