પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને આપી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “ભારત છોડો આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સંસ્થાનવાદ સામેની લડાઈને મજબૂત કરનાર તમામ મહાન હસ્તીઓને મારી શ્રદ્ધાંજલિ.

મહાત્મા ગાંધીની પ્રેરણાથી ભારત છોડો ચળવળની ભાવના દેશભરમાં ફરી હતી અને દેશના યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ૮ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલન શરૂ થયું હતું. આ આંદોલન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ થયું હતું અને ભારત બ્રિટિશ શાસનથી આઝાદીની માંગ કરી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *