૫૮ વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું સ્વાસ્થ્ય સતત સુધરી રહ્યું છે. રાજુ શ્રીવાસ્તવને ૯ ઓગસ્ટના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ માં એડમિટ કરવામાં આવ્યા હતા. સોમવાર ૧૫ ઓગસ્ટ ના રોજ ફૂડ પાઇપથી અડધો લીટર દૂધ આપવામાં આવ્યું હતું. આજે એટલે કે ૧૬/૦૮/૨૦૨૨ ના રોજ વેન્ટિલેટર સપોર્ટ હટાવી શકાય છે.
૧૫ ઓગસ્ટે એક કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં રાજુના મોટા ભાઈ કાજુની પણ સારવાર ચાલી રહી છે. તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કાજુ શ્રીવાસ્તવને હજી સુધી રાજુની તબિયત અંગે જાણ કરવામાં આવી નથી.