ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના નવા સંસદીય બોર્ડની જાહેરાત કરી છે.
આ સાથે પાર્ટીની નવી ચૂંટણી સમિતિની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ બોર્ડમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત ૧૧ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભાજપ સંસદીય બોર્ડમાં નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણનું નામ સામેલ નથી.