વલસાડના અતુલ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનને નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતની ઘટના ઘટિત થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો હતો અને એન્જીન નજીક નીચે ભાગમાં પણ નુકશાન પહોંચ્યું હતું.