ગુજરાતની ૨૭ બેઠકો પર સીધી અસર થાય તેવા માનગઢમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સ્થિત માનગઢ પહોંચ્યા છે. મોદી માનગઢ ધામ પહોંચ્યા અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી. મોદી ‘માનગઢ ધામની ગૌરવ ગાથા’માં જોડાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ તેમની મુલાકાત દરમિયાન માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ભાષણની શરૂઆત મોરબી બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, જેઓ મદદ અને સહકાર માટે તૈયાર હતા અને બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરી. વડા પ્રધાને અમૃતકાળ દરમિયાન અમને પાંચ મંત્ર આપ્યા છે. હું એ તમામ આદિવાસી ભાઈ – બહેનોને યાદ કરવા માંગુ છું જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વડાપ્રધાન માનગઢ ધામ પહોંચ્યા, હું રાજ્યના લોકો વતી તેમનું સ્વાગત કરું છું. મેવાડની ધરતીનો પોતાનો ઇતિહાસ છે. માનગઢ ધામનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આદિવાસીઓનો ઇતિહાસ મહાન ઇતિહાસ છે. તમે જેટલી વધુ શોધશો, તેટલી વધુ નવી વાર્તાઓ તમને મળશે. દરેક જગ્યાએ આદિવાસીઓનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોટું યોગદાન હતું. મહારાણા પ્રતાપની બહાદુરી એ મેવાડની ઓળખ છે.

ત્રણ રાજ્યોના સીએમ પણ હાજર છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ હાજર છે. તમને જણાવી દઈએ કે માનગઢ ધામ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર એક પહાડી પર આવેલું છે. મધ્યપ્રદેશની સરહદો પણ ધામથી જોડાયેલી છે.

પીએમ મોદીની માનગઢ ધામથી એક સાથે ત્રણ રાજ્યો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના મતદારોને સંબોધિત કરશે. માનગઢ ધામ એ વિસ્તાર છે જેની આસપાસ ગુજરાત અને મધ્યપ્રદેશની ૯૯ વિધાનસભા બેઠકો પર આદિવાસી સમુદાયનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.પ્રધાનમંત્રી મોદી આજે ત્રણેય રાજ્યોની ૯૯ આદિવાસી બેઠકોને સંબોધન કરશે. રાજસ્થાનમાં ૨૫, ગુજરાતમાં ૨૭ અને મધ્ય પ્રદેશમાં ૪૭ વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ત્રણ રાજ્યોની લગભગ ૪૦ લોકસભા બેઠકો પર આદિવાસી સમુદાયનો પ્રભાવ પણ માનવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૮૦ થી ૮૨ લાખ આદિવાસી મતદારો છે. જણાવી દઈએ કે ૧૮૨ બેઠકમાંથી ૨૭ બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે અને આ બેઠકોમાં કોંગ્રેસની જીત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *