પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ આજે સમગ્ર દેશમાં નવા નિમણૂક પામેલા ૭૧,૦૦૦ લોકોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી કર્મયોગી પ્રારંભ મોડ્યુલ લોન્ચ કરશે જે તમામ નવા નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ પૂરો પાડશે

નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ આજે ૧૦:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ ૭૧,૦૦૦ જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિ મેળવનારાઓને પણ સંબોધન કરશે.

રોજગાર મેળોએ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. અગાઉ ઓક્ટોબરમાં રોજગાર મેળા હેઠળ ૭૫,૦૦૦ નવા નિમણૂંક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

નવી નિમણૂકોને નિમણૂક પત્રોની ભૌતિક નકલો સમગ્ર દેશમાં ૪૫ સ્થળોએ (ગુજરાત અને હિમાચલ પ્રદેશ સિવાય) સોંપવામાં આવશે. અગાઉ ભરેલી જગ્યાઓ ઉપરાંત શિક્ષકો, લેક્ચરર, નર્સ, નર્સિંગ ઓફિસર, ડોક્ટર, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય ટેકનિકલ અને પેરામેડિકલની જગ્યાઓ પણ ભરવામાં આવી રહી છે. વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) માં ગૃહ મંત્રાલય દ્વારા નોંધપાત્ર સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીમાં નિમણુક પામેલા ૭૧ હજાર યુવાનોને વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી નિમણુક પત્ર આપ્યા છે. દેશના ૪૫ સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ સરકારી તંત્રની કાર્યક્ષમતા વધારવા અને રાષ્ટ્ર વિકાસમાં મદદરૂપ થવા યુવાનોને અનુરોધ કર્યો છે. આ પ્રસંગે તેમણે નવાનિમણુક પામેલા યુવાનોને ઓનલાઈન પદ્ધતિથી તાલીમ આપવા માટેના કર્મયોગી પ્રારંભમોડ્યુલનો શુભારંભ કરાવ્યો હતો. આ મોડ્યુલ કર્મયોગીઓને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય વધારવામાં પણ મદદરૂપ થાય છે. કેન્દ્રીય કર્મચારી બાબતોના મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ રોજગાર આપવાની આપેલી પ્રતિબદ્ધતા મુજબ નિમણુક પત્રો આપવાની આ કામગીરી થઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમ તબક્કામાં સરકારે ગયા મહિનામાં ૭૫ હજાર યુવાનોને નિમણુક પત્રો આપ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *