પાંચ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને જોઈને ભારત સરકારે અત્યારથી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી દીધી છે. હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરીના એક બાદ હવે ઈન્ડીયન મેડિકલ એસોસિેએશને એક મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને શું કરવું અને શું ન કરવું તે સંબંધિત સલાહ આપી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. આઈએમએના પ્રમુખ એસ.એન.પી.સિંહે કહ્યું કે ચીન, અમેરિકા જેવા દેશોમાં જે સ્થિતિ છે તે જોતા કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે હવે આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે બિનજરૂરી પ્રવાસો ટાળવાની પણ અપીલ કરી છે. ડો.સિંહે કહ્યું કે આ એક એવો પ્રસંગ છે જ્યારે વિદેશ યાત્રાઓ ફક્ત મુસાફરી માટે ન કરવી જોઈએ.તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, બિન-આવશ્યક મુસાફરી ન કરવી અને સમારંભો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગાઈડલાઈન્સમાં શું કહેવાયું
- (૧) બિનજરુરી પ્રવાસ ટાળવો
- (૨) લગ્ન પ્રસંગે પણ શક્ય હોય તો ટાળવા
- (૩) ભીડવાળી જગ્યાએ ન જાવ
- (૪) જાહેર સ્થળોએ માસ્ક અનિવાર્યપણે પહેરો
- (૫) સેનિટાઈઝરનો ઉપયોગ કરો
- (૬) સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે.
- (૭) સાબુ અને પાણી અથવા સેનિટાઇઝર્સથી નિયમિતપણે હાથ ધોવા
- (૮) આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો
- (૯) તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, લૂઝ મોશન વગેરે જેવા કોઈપણ લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો
- (૧૦) વહેલી તકે સાવચેતીના ડોઝ સહિત તમારું કોવિડ રસીકરણ મેળવો
- (૧૧) સમયાંતરે જારી કરવામાં આવેલી સરકારી સલાહકારને અનુસરો