રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૧,૦૦૦ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા લોકોને ૭૧,૦૦૦ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૦:૩૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા લોકોને ૭૧,૦૦૦ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નવ નિયુક્ત થઈ રહેલા યુવાનોને પણ સંબોધિત કરશે.

દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી પામેલા લોકો ભારત સરકાર હેઠળ જુનિયર એન્જિનિયર્સ, લોકો પાઇલોટ્સ, ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, આવકવેરા નિરીક્ષક, શિક્ષક, નર્સ, ડૉક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, PA, MTS તેમજ અન્ય જેવી વિવિધ જગ્યાઓ/પોસ્ટ્સ પર જોડાશે.

આ રોજગાર કાર્યક્રમ દરમિયાન કર્મયોગી પ્રારંભ મોડ્યુલમાંથી શીખનારા નવા સામેલ કરાયેલા અધિકારીઓનો અનુભવ પણ શેર કરવામાં આવશે. કર્મયોગી પ્રરંભ મોડ્યુલ એ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી નિયુક્તિઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.

રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *