પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઈનમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૯૩ થઈ ગયો છે અને ૧૫૭ લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા છે.
આ બ્લાસ્ટ ગઈ કાલે બપોરની નમાજ દરમિયાન થયો હતો. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ વિસ્ફોટની જવાબદારી લીધી છે.