ગુજરાતનાં નિવૃત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઈરાદે કાવતરુ ઘડનાર ભાજપના મુખ્ય સુત્રધાર જી. કે પ્રજાપતિને ભાજપમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારે ૫ ઈસમોની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તો આ બાજુ સી.આર પાટિલે તાત્કાલિક અસરથી જી. કે પ્રજાપતિને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમા નિવૃત્ત ડીજીપીને બ્લેક મેલ કરવામાં મુખ્ય સૂત્રધાર જી. કે પ્રજાપતિ હોવાનું સામે આવ્યુ છે. અને આ ઘટનામાં ભાજપના નેતા સાથે ૨ પત્રકારો પણ સામેલ છે. અને હવે આ આરોપીને મંગળવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે. જો કે પોલિસે વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માટે પણ માંગણી કરી છે.
ભાજપના એક નેતા અને પત્રકારો દ્વારા મળીને ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઈરાદે કાવતરુ કર્યુ હતું. જેમાં ગુજરાત ATS દ્વારા પાંચ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વાત એવી છે કે ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું ખુલ્યુ છે. જેમાં ભાજપના સ્થાનિક નેતા તેમજ બે પત્રકારોએ મળીને ગુજરાતના નિવૃત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઈરાદે એક મહિલાનું ખોટુ સોગંદનામું કરાવવાનું કાવતરુ રચ્યુ હતું. જે મામલે અમદાવાદ ATS એ પાંચ લોકોની ધરપકડ કરી છે.
ગુજરાતના નિવૃત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના બદઈરાદે ષડયંત્ર રચવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કાવતરુ રચવામાં ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું છે. સમગ્ર કાવતરામાં ભાજપના નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે. એક મહિલાનું ખોટુ સોગંદનામું કરાવવાનું કાવતરુ રચ્યું હોવાનુ સામે આવ્યુ છે. જે બાદ અમદાવાદના ATS દ્વારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.