રાજેશ મલ્હોત્રાએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો

રાજેશ મલ્હોત્રાએ આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. શ્રી મલ્હોત્રાએ ગઈકાલે શ્રી સત્યેન્દ્ર પ્રકાશની નિવૃત્તિ બાદ કાર્યભાર સંભાળ્યો. રાજેશ મલ્હોત્રા, ૧૯૮૯ બેચના ભારતીય માહિતી સેવા (IIS) અધિકારી, અગાઉ, જાન્યુઆરી ૨૦૧૮ થી નાણાં મંત્રાલયમાં કાર્યરત હતા. જટિલ COVID – ૧૯ રોગચાળા દરમિયાન, તેમણે લોકોને રાહત આપવા અને આર્થિક સંતુલન જાળવવા માટે સમયાંતરે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા વિવિધ આત્મનિર્ભર ભારત પેકેજો સાથે નાણાંનો સુમેળ જાળવવા મંત્રાલયમાં મીડિયા અને સંચાર નીતિને અસરકારક રીતે સંચાલિત કરી હતી.

રાજેશ મલ્હોત્રા પાસે નાણાં, કંપની બાબતો, કૃષિ, પાવર, કોલસો, ખાણો, સંચાર અને IT, કાપડ, શ્રમ, નવી અને નવીનીકરણીય ઉર્જા સહિત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો માટે મીડિયા અને સંચાર વ્યૂહરચનાઓના આયોજન અને અમલીકરણમાં ૩૨ વર્ષથી વધુનો કાર્યકારી અનુભવ છે. વધુમાં, તેઓ ભારતના ચૂંટણી પંચ સાથે ૨૧ વર્ષ ( ૧૯૯૬ – ૨૦૧૭ ) માટે મીડિયા અને સંચારના પ્રભારી તરીકે સંકળાયેલા હતા, ત્યાંથી લોકસભા ( ભારતના સંસદના નીચલા ગૃહ )ની છ સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટેની ઘણી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને ચૂંટણીઓ સાથે મીડિયા અને સંચાર વ્યૂહરચનાઓનું આયોજન અને અમલીકરણ કર્યું હતું. આ કાર્યકાળ દરમિયાન શ્રી મલ્હોત્રાએ ૧૨ મુખ્ય ચૂંટણી કમિશનરો સાથે નજીકથી કામ કર્યું છે.

રાજેશ મલ્હોત્રાએ IMT, ગાઝિયાબાદમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને NALSAR, હૈદરાબાદમાંથી મીડિયા કાયદામાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે. વધુમાં, તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પબ્લિક પોલિસી એનાલિસિસ, થોમસન ફાઉન્ડેશન, યુકે ખાતે મીડિયા મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજીસ અને નવી દિલ્હીમાં IIM લખનૌ દ્વારા આયોજિત ‘માર્કેટિંગઃ ધ વિનિંગ કોન્સેપ્ટ્સ એન્ડ પ્રેક્ટિસ’ પરના કાર્યક્રમમાં ટૂંકા ગાળાના અભ્યાસક્રમનો પણ ભાગ રહ્યા છે. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાના સાથી સભ્ય પણ છે અને કાયદામાં ડિગ્રી પણ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *