નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL મેચને લઈ અમદાવાદીઓમાં ઉત્સાહ

IPL ૨૦૨૩ નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPLની પહેલી મેચને લઈ અમદાવાદીઓ સહિત ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહની લાગણી છે. જોકે આ બધાની વચ્ચે અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPLની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે ૦૨:૩૦ વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. આ સાથે BRTSની ૭૪ બસ રાત્રે ૧૨ વાગ્યા સુધી અને AMTSની ૯૧ બસ રાત્રે ૦૧:૩૦ વાગ્યા સુધી દોડાવાનું નક્કી કરાયું છે.

અમદાવાદમાં ગુરુવારે સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જોકે આજે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી ક્રિકેટરસિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે યોજાનાર IPL ૨૦૨૩ ની પ્રથમ મેચને લઈ બપોરે ૦૩:૦૦ વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *