પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં જોઈન્ટ કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસની મુલાકાતે ભોપાલ જશે. પ્રધાનમંત્રી ભોપાલમાં ચાલી રહેલી ત્રણેય સેનાઓની જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સને સંબોધિત કરશે. તેઓ કુશાભાઉ ઠાકરે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે સંમેલનને પણ સંબોધિત કરશે. કોન્ફરન્સની થીમ છે- ‘તૈયાર, પુનરુત્થાન, સંબંધિત’. આ કોન્ફરન્સમાં ત્રણેય સેનાના કમાન્ડર અને રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

રાજનાથ સિંહે ગઇકાલે આ સંમેલનમાં હાજરી આપી હતી. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા માટે થિયેટર કમાન્ડ સ્ટ્રક્ચરને આગળ વધારવાનો, ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન વધારવાનો અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *