ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
પોલીસના જવાબી ફાયરિંગમાં આતંકવાદી થયા ઠાર
૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક લોકોને ટક્કર મારી હતી. ત્યારબાદ પોલીસે આતંકવાદીને ઠાર માર્યો હતો. જોકે, ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આતંકી હુમલા પછી તમામ રિઝર્વ બોર્ડર પોલીસને બોલાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેઓ સુરક્ષા બળોના નિર્દેશોનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે.