પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના ફાઉન્ડર પ્રકાશ સિંહ બાદલનું ૯૫ વર્ષની જૈફ વયે મોહાલીમાં અવસાન થયું છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પીઢ નેતા પ્રકાશ સિંહ બાદલનું ૯૫ વર્ષની જૈફ વયે નિધન થયું છે. મોહાલીની હોસ્પિટલમાં બાદલે અંતિમ શ્વાસ લીધાં હતા. શિરોમણી અકાલી દળ (એસએડી)ના વરિષ્ઠ નેતાને એક અઠવાડિયા પહેલા શ્વાસની તકલીફની ફરિયાદ બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે સાંજે તેમનું અવસાન થયું હતું.
પ્રકાશ સિંહ બાદલ અકાલીના દિગ્ગજ નેતા અને ફાઉન્ડર હતા. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની નજીકના નેતા હતા તેમજ વર્ષો સુધી એનડીએના પાર્ટનર રહ્યાં હતા.
પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રકાશ સિંહ બાદલના અવસાન પર પ્રધાનમંત્રી મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકસંદેશ આપતું ટ્વિટ કર્યું હતું.
અમિત શાહ અને રાજનાથે બાદલના ખબર-અંતર કાઢ્યાં હતા
ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બાદલની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલને ગૈસ્ટ્રાઇટિસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદલને ગયા વર્ષે જૂનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૨ માં, તેમને પોસ્ટ-કોવિડ આરોગ્ય તપાસ માટે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદલે ગયા વર્ષે જાન્યુઆરીમાં કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું અને તેને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.