આકરી નાણાભીડમાં આવી ગયેલી ગો ફર્સ્ટ એરલાઈન્સે ૩ – ૪ મેના દિવસે ફ્લાઈટ બંધ રાખવાની જાહેરાત કરીને NCLTમાં અરજી મૂકી છે.
પ્રાઈવેટ એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ આકરી નાણાભીડમાં આવી ગઈ છે અને તેથી તેણે ૩ – ૪ મેના દિવસે તમામ ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં કંપનીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જાણ કરી દીધી છે જે પછી સિવિલ એવિએશને આ સમાચાર જાહેર કર્યાં હતા.
વાડિયા ગ્રુપની માલિકીની ગો ફર્સ્ટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બાકી લેણાં ન ચૂકવવાને કારણે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરલાઇનને નોંધપાત્ર નાણાકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વારંવારની સમસ્યાઓ અને તેના એરબસ એ3 નિયો એરક્રાફ્ટને શક્તિ આપતા પ્રેટ એન્ડ વ્હિટની એન્જિનનો પુરવઠો ન હોવાને કારણે તેને તેના કાફલાનો અડધોઅડધ હિસ્સો ઉતારવો પડ્યો હતો. આનાથી એરલાઇન્સના રોકડ પ્રવાહ પર ગંભીર અસર પડી છે.
ગો ફર્સ્ટ એરલાાઈન્સે અમેરિકી કોર્ટમાં એન્જિન બનાવતી કંપની Pratt & Whitney ની સામે એક ઈમરજન્સી અરજી મૂકી છે જેમાં તેણે કહ્યું કે અમને કંપની તરફથી વિમાનના એન્જિન નથી મળ્યાં અને જો નહીં મળે તો તે ટૂંક સમયમાં નાદાર થઈ જશે.
ગો ફર્સ્ટ એરલાઈન્સે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં નાદારી માટેની અરજી મૂકી છે. ગો ફર્સ્ટના સીઇઓ કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ સ્વૈચ્છિક ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન કાર્યવાહી માટે અરજી કરી છે.