દેશમાં છેલ્લા ૨૪ કલાક કોરોનાના ૮૦૧ કેસ

કોરોનાવાયરસ અપડેટ સમાચાર:- દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૧૪,૪૯૩ તો રિકવરી રેટની સંખ્યા ૯૮.૭૮ % એ પહોંચી

દેશમાં છેલ્લા ૨૪ કલાક કોરોનાના ૮૦૧ કેસ સામે આવ્યા છે. આ તરફ દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૧૪,૪૯૩ છે. રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૮.૭૮ % છે. આ તરફ દૈનિક પોજિટિવિટી રેટ ૧.૪૪ % છે તો સાપ્તાહિક પોજિટિવિટી રેટ ૧.૧૧ % છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૧૫ લોકો કોરોનાથી સાજા થયા છે. મહત્વનું છે એક, અત્યાર સુધી કુલ ૪,૪૪,૩૫,૨૦૪ લોકો કોરોનાથી સાજા થયા છે.

દિલ્હીમાં રવિવાર કોવિડ – ૧૯ ના ૨૬ નવા કેસ સામે આવતા ચેપ દર ૧.૪૯ % રહ્યોછે. વિભાગના હિસાબે રાષ્ટ્રીય રાજધાનીમાં નવા કેસ સામે આવવાથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૨૦,૪૦,૪૪૭ થઈ છે, જ્યારે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૨૬,૬૫૧ રહી છે. રાષ્ટ્રીય રાજધાની છેલ્લા બે દિવસોથી કોવિડ – ૧૯ કોઈ દર્દીનો જીવ નથી ગયો. આરોગ્ય વિભાગના બૂલેટીન મુજબ વર્તમાનમાં કોવિડ – ૧૯ સારવારધીન દર્દીઓની સંખ્યા ૩૫૭ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *