દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિરોધ વચ્ચે અમિત શાહનું નિવેદન

અમિત શાહે કહ્યું, સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં રાજ્યપાલ આદિવાસી હતા તેમને કેમ ન બોલાવાયા?

દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિપક્ષનાં વિરોધ વચ્ચે હવે અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વડા પ્રધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ કરી રહેલા વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીને ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે. અમિત શાહે કહ્યું કે, સમગ્ર જનતાના આશીર્વાદ પીએમ મોદી સાથે છે. છત્તીસગઢનો ઉલ્લેખ કરીને તેમણે આ મામલે કોંગ્રેસ  નેતા સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પીએમ મોદી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં દેશની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવાના છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી પક્ષો રાજકારણ કરીને તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને એવું બહાનું બનાવી રહ્યા છે કે, રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. અમિત શાહે કોંગ્રેસ પર ક્ષુદ્ર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *