પ્રધાનમંત્રીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ અકસ્માતથી વ્યથિત છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા રૂ. ૨ લાખ, ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવશે. પ્રધાનમંત્રી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *